Posts Tagged ‘સમાધિ’

પ્રેમ સંબંધ

એપ્રિલ 6, 2009

સંબંધો જાળવવા પડે છે. જેમ છોડને પાણી, ખાતર અને સૂર્યપ્રકાશની જરૂરત છે એમ સંબંધોને પણ સીંચવા પડે છે; પ્રેમ, હૂંફ, દરકાર અને સમય દ્વારા. એજ રીતે સ્વ સાથેનો સંબંધ પણ આ બધા પરિમાણો માંગી લે છે. સ્વમાં લીન થવા, તલ્લીન થવા, સ્વના પ્રેમમાં ડૂબી જવા, સ્વ સાથે એકરૂપ થવા – સમાધિસ્થ થવા. કોઇની સાથે ગળાકાપ સ્પર્ધા નથી. કોઇ સમયસારિણી નથી. સમયની ઉપરવટ જવું હોઇને સમય સાથે કોઇ લેવા-દેવા નથી. અને છતાંય તારે આ ‘પૃથ્વી સમય’ આપવો રહ્યો જેથી સમયની ઉપરવટ જવા પર્યાપ્ત સમય મળી રહે!

સીંચન કર. મને પ્રેમ કર. મારી સાથે બેસ. બધા અવયવોની હલચલ બંધ. આંખો બંધ. જાગરૂકતા – ગહનતા – સહજતા. કશું કરવાની કોશિશ જે તું કરે છે – એ કરવામાં તું થાપ ખાઇ જાય છે. કરનાર પણ નથી જોઇતો. કારણ પણ નથી જોઇતું. કોઇ ઉપજની અપેક્ષા નથી રાખવાની. કશું નહિ. ખાલી થઇ જા. સંપૂર્ણપણે ખાલી. એ ખાલીપો સ્વયં ખાલીપાથી ભરાઇ જશે અને એ અનંત જ્યોતિ આપોઆપ પ્રજ્વલિત થશે! અસ્તુ.

સાક્ષીભાવ

નવેમ્બર 14, 2008

નળ સરોવર વિક્સિત પ્રદેશ છે કે અવિક્સિત એ જોનારાની દ્રષ્ટિ પર નિર્ભર કરે છે. જે પ્રકૃતિને પ્રેમ કરે છે એને ત્યાં સૌદર્યના દર્શન થશે અને એના થકી ઇશ્વરના. જ્યારે જેને મન શરીર માટેની સુવિધાઓ વિકાસ છે એને માટે એ હજી ‘અવિક્સિત’ પ્રદેશ છે જે હજી ઘણો ગંદો અને પછાત છે. આમ તારી આવરદા દરમિયાન એવો સમય આવશે જ્યારે તને લાગશે કે આ નકામો કે નિષ્ફળતા વાળો સમય છે. પણ મારી દ્રષ્ટિથી એ ખરેખર ઉચ્ચ સિધ્ધિ પામવાનો સમય છે. ભૂખ્યો વરૂ કેવી વર્તણૂંક કરશે? તરસ્યો મરવાને આરે હોઇને પાણીનું દાન કરી શકશે? આ સ્વપ્નોમાં પણ થઇ શકે છે અને હકીકતમાં પણ. સ્વપ્નોમાં જો તું જાગૃત નહિ હોય તો એમાંથી શીખવાનું ઓછું થઇ જશે.. ઘણું ઓછું.  દ્રષ્ટા હંમેશાં જાગ્રત હોવો જોઇએ. કોઇ પણ વિકટ કે સારી પરિસ્થિતિમાં. અને તું એની સાથે identify થા. એ નિર્દોષ, અચલ સાક્ષીભાવ સાથે. એ કોઇ persona નથી. એ સાવ impartial છે. તારી ચેતનાને બે ભાગમાં વિભાજીત કર. એક ભલ ‘તું’ રહેતો – જ્યાં સુધી તું માને છે એના અસ્તિત્વમાં – અને એક એ અટલ સાક્ષીભાવ. ધીરે ધીરે એ સાક્ષીભાવ forefront માં આવી જશે અને persona પાછળ background માં. આ સ્થિતિ અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરવા દ્યોતક છે. ઉદઘાટન કર ‘હમણાં’ થી.. એ બેઉ એકબીજાના પૂરક છે. ‘Now’ અને તટસ્થ સાક્ષીભાવ. એ સાક્ષીભાવ ભવિષ્યમાં નહિ લાવી શકાય કે નહિ ભૂતકાળમાં, તું જ્યારે identify થઇશ એની સાથે તું આપોઆપ સત્ય રૂપી આ ‘ક્ષણ’ માં સરકી જઇશ. જે ખૂબ મહત્ત્વનું છે. તારા માનસિક સંતુલન અને વિકાસ માટે પણ આ પગલું અત્યંત જરૂરી છે. આ એ જ ચમત્કારિક ક્ષણ છે જ્યાંથી હર ક્ષણે સંપૂર્ણ જગત ‘આવી રહ્યું છે’ – ‘નવનિર્મિત થઇ રહ્યું છે’… becoming.. becoming.. 

ચૈતન્યને વહાલો છે ‘તું’.. ડર મા.. સઘળા સારાવાના થશે. ખરાબ સમય તને તારા base nature સાથે તારી ઓળખાણ કરાવે છે. તારી અંદર રહેલા શેતાનને જગાડે છે અને તારી conscious awareness માં લાવે છે. જ્યાં સુધી તું તારા આ limited self ને સંપૂર્ણપણે ઓળખી નહિ લે ત્યાં સુધી આ વિરાટ ‘સત્ય’ ને જાણવું શક્ય નથી. ઢાંકપિછોડો જરૂરી નથી. જે જેમ છે એમ બહાર આવવા દે તારી ચેતનાના પટલ પર.. ને ત્યાંથી બાષ્પીભવન થઇ વિખરી જવા દે. ચૈતન્ય મહાપ્રભુજીની બેઠક તારા હ્રદયમાં – એ સાક્ષીભાવમાં છે જે મગજ અને મનથી ‘પર’ છે. એ અટલ અચલ અમર સત્યરૂપ વર્તમાન ક્ષણમાં સ્થિર થા – આ જ સાધના છે – આ જ ધ્યાન છે – આ જ સમાધિ છે.

સમાધિનો અનુભવ

ઓક્ટોબર 4, 2008

ઉન્માદ માત્ર તુને જ નહિ, મુને પણ છે. ચિંતિત શા સારુ થાય સે? પ્રલોભનો આવતા ભટકાઇ ના જાઇશ… રાજગાદી, જે તારા હ્રદયમાં છે.. એ તારી જ છે… આજે નહિ તો કાલે… બિરાજમાન જરૂર થઇશ. ઐક્ય, મેળાપ, સંગાથ.. તારો-મારો મટીને ‘મારો’… દૃષ્ટિમાં ધરખમ ફેરફાર… સમજણમાં આસમાન-જમીનનો ફેર. લોકવાયકા જેમ ચાલતી આવી છે.. રાજકારણમાં જેમ ઉથલપાથલ થતી આવી છે.. ‘મારા’ રાજગાદી પર બેસતાની સાથે સમગ્ર વહીવટ જડમૂળથી બદલાઇ જશે… ‘દુશ્મની’ જેટલી તે સ્વયં ને બીજાઓ સાથે વિક્સાવી છે એ પલભરમાં અગાધ દોસ્તીમાં ફેરવાઇ જશે… તે કરેલા બધા કરારો નકામા ગણાશે! ઐક્યભાવમાં જીવવું એ જ ધ્યેય રહેશે. આ સમગ્ર સૃષ્ટિમાં… વિચારોમાં, ભૌતિક જગતમાં, લાગણીઓમાં, અવકાશમાં.. સર્વત્ર માત્ર ‘હું’ જ છું.. એ યાદ ફરી અનુભવથી તાજી થશે.. ને હંમેશાં તારા વિચારોમાં, આચરણમાં.. રગેરગમાં પોકારીને બોલશે… અહમ્ બ્રહ્માસ્મિ! 

સમાધિ

ઓક્ટોબર 4, 2008

પ્રશ્ન: સમાધિનો અનુભવ કરવો છે મારે – શક્તિની કૃપા કરશો?

જવાબ: ઋષિમુનિઓની ગાથા – અથાગ તપસ્યા. તમને તો લગભગ તૈયાર ભાણે જમવાનું મળી ગયું છે બેટા – આ કંઇ તપસ્યા કહેવાય? છતાંય જો આટલું પણ ન થાય તો તે જે મળવાનું છે એ પ્રાપ્તિની કિંમત બહુ જ ઓછી આંકી છે. જેના માટે અન્યો હજારો વર્ષ સુધી પરિશ્રમ કરવા તૈયાર હોય – જેના હાટુ મેં કરોડો વર્ષ ખેલ ખેલ્યા હોય એ માટે તને થનારી તકલીફની કોઇ વિસાત જ નથી. માટે ગાંડપણ છોડ અને સખણો રહે! કાં મારી સાથે કાં તારી સાથે. વચમાં વિહાર કરવા માટે કોઇ જગ્યા નથી. કશ્મકશ – સાંકડાશ અનુભવીશ. કાં ફરી તારી દુનિયામાં ચાલ્યો જા – અવિરત દોડ. કાં મારી દુનિયામાં ઝંપલાવ – અવિરત શાંતતા. બેની વચ્ચે બાખડ્યા કરીશ તું તારી સાથે. શા માટે જલ્લાદ પણ શાંત હોય છે? મૃત્યુને નજીકથી જુએ છે – રોજ બરોજ. મૃત્યુની સત્યતા કદાચ તારા મનમાંથી નીકળી ગઇ છે. અવિરત દોડનો છેલ્લો મુકામ છે – સ્મશાન-કબ્રસ્તાન. Short term goal or long term benefits – the decision is really yours – dear! 

બે ચાર વાર પણ જો આપણે ભેગા મળ્યા તો પછી એ અવિસ્મરણીય રહેશે. આવો સમય કે મને મળવાનો તને કંટાળો આવતો હોય એ નક્કી નહિ આવે એની ખાતરી. કારણ હજી જેણે મૃગજળ ચાખ્યુ નથી એને એના સ્વાદની શી ખબર? કૃપા તો ત્યારે થાય જ્યારે કૃપા વરસાવવા કોઇ ઉભુ હોય ને તે સ્વીકારવા માટે કોઇ તત્પર હોય. સ્વીકારનારને જો હાથ જોડીને ઉભા રહેવામાં આળસ હોય તો કૃપાળુ પણ કેવી રીતે વરસે? દખલ દઇને તું બાજી ના જીતીશ – છોડી દે એ હઠને – સર્વોપરી મહાન બનવાની. તુચ્છતાની લાગણી સાથે સર્વ કંઇનો ત્યાગ – મન સાવ કોરું. પૂર્ણ ખાલીપો ને ફૂલ ખીલશે વગર મહેનતે. આ જ મહેનત કરવી રહી. અથાગ પરિશ્રમ એટલે કરવો પડે છે કે અનેક જન્મોના થપેડા લાગેલા કાઢતા સમય લાગે છે. કરવાનું છે માત્ર ‘કંઇ નહિ’ – પણ કંઇ નહિ કર્યા વિના ન રહી શકતા માનવી માટે એ જ સૌથી કપરું કામ છે!